ઉત્તરાયણ વિષે નિબંધ (Uttarayan Essay In Gujarati)

નમસ્તે મિત્રો, આજ આપણે “ઉત્તરાયણ વિષે નિબંધ (Uttarayan Essay In Gujarati Language)” આર્ટિકલ માં ખુબ સરસ ગુજરાતી નિબંધ જોવાના છીએ. અત્યારે કોઈ પણ ધોરણ ની પરીક્ષા માં નિબંધ વારંવાર પરીક્ષાઓ માં પૂછાતો હોય છે અને બધા ધોરણ ના વિદ્યાર્થી માટે પણ ખુબ ઉપીયોગી હોય છે. આ કારણે અમે અહીં ઉત્તરાયણ વિષેના નિબંધ ના 2 થી 3 ઉદાહરણ આપેલા છે જેના દ્વારા તમે તમારો પોતાનો મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ વિષે સુંદર નિબંધ લખી શકો.

અહીં પણ તમને ત્રણ ગુજરાતી નિબંધ ના ઉદાહરણ આપવામાં આવ્યા છે. તમારે આ નિબંધ ગોખવાના કે યાદ રાખવાના નથી પણ આમાથી માર્ગદર્શન મેળવી અને તમારો પોતાનો એક સરસ ઉત્તરાયણ વિષે નિબંધ લખવાનો છે. આશા રાખું છું કે તમે ઉદાહરણ નિબંધ જોઈ અને આનાથી પણ સરસ ઉત્તરાયણ વિષે નિબંધ લખશો.

આ પણ જરુર વાંચો- દિવાળી વિષે નિબંધ (Top 3 Diwali Essay in Gujarati)

(મકરસંક્રાંતિ) ઉત્તરાયણ વિષે નિબંધ ગુજરાતી ભાષામાં (Makarsankranti or Uttarayan Essay In Gujarati)

નાના બાળકોથી માંડી અને યુવાનો સુધી બધા મેં ઉત્તરાયણ તહેવાર ખુબ જ ગમતો હોય છે. અને જો ગુજરાત ની વાત કરીએ તો આ તહેવાર ની માજા જ કૈક અલગ હોય છે. આ દિવસે બધા લોકો પોતાના ઘર ની છત પાર ચડી અને પતંડ ઉડાડે છે, જયારે લોકો મોટા અવાજ થી મનમોહક ગીતો વાગાડતા હોય છે જે તહેવાર ની માજા ઓર વધારી દે છે.

આ પણ જરુર વાંચો- “હોળી” વિશે નિબંધ (Top 3 Holi Essay In Gujarati)

ઉત્તરાયણ વિષે નિબંધ | ઉતરાયણ ની મજા નિબંધ (Uttarayan Essay In Gujarati)

હિન્દુ ધર્મના તમામ તહેવારોમાં મકરસંક્રાંતિ એ ભારતનો અને ખાસ કરીને ગુજરાત નો એક મહત્વ નો તહેવારો છે, જે લોકો ખૂબ આનંદ અને ખુશીથી ઉજવે છે. દર વર્ષે 14 જાન્યુઆરીએ સૂર્ય સ્થિતિ ને આધારે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દરેક લોકો વહેલી સવારે નદીમાં પવિત્ર સ્નાન અને સૂર્યદેવને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે. આ દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશતો હોવાથી આ દિવસ ને મકરસક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિ શબ્દનો અર્થ મકર અને સંક્રાંતિ એમ બે શબ્દો જોડાઈ ને બનાવવા માં આવ્યો છે. મકરનો અર્થ મકર રાશિ છે, અને સંક્રાંતિનો અર્થ એ સંક્રમણ છે, જે મકર સંક્રાંતિને મકર રાશિ માં સૂર્યના સંક્રમણ તરીકે બનાવે છે. હિન્દુ ધર્મ અનુસાર તે ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ છે.

મકર રાશિમાં સૂર્યનો પરિવર્તન દૈવી મહત્વ રાખે છે, અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે માનીએ છીએ કે પવિત્ર ગંગામાં સ્નાન લેવાથી આપણા બધા પાપ ધોઈ જાય છે, અને આપણી આત્માને શુદ્ધ અને ધન્ય બનાવે છે. આ દિવસ એ એક આધ્યાત્મિક પ્રકાશમાં વધારો સૂચવે છે અને ભૌતિક અંધકાર ઘટાડે છે. અવકાશી વિજ્ઞાન મુજબ, મકરસંક્રાંતિમાં દિવસો લાંબા અને રાત ટૂંકી થવા ની શરૂવાત થાય છે.

Uttarayan My Favorite Festival Essay in Gujarati ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર નિબંધ
Uttarayan My Favorite Festival Essay in Gujarati ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર નિબંધ

મકરસંક્રાંતિને કે ઉત્તરાયણ ને દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિની ઉજવણી કરતા દરેક ક્ષેત્ર માટેના સમાવિષ્ટ રિવાજો પણ અત્યંત જુદા છે. પરંતુ ઉત્સવનો એકમાત્ર ઉદ્દેશ તે જ છે જે સમૃદ્ધિ, એકતા અને આનંદ ફેલાવવાનો છે.

મકરસંક્રાંતિના નિર્ણાયક ભાગોમાંનો એક ભાગ એક દાન છે. જરૂરિયાતમંદ લોકોને ઘઉં, ચોખા અને મીઠાઈઓનું દાન કરવું એ આ તહેવાર નો એક મહત્વનો ભાગ છે. જયારે લોકો ખુલ્લા મનથી દાન કરે છે, ભગવાન તેમના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે અને બધી મુશ્કેલીઓ દૂર કરશે તેવી ઈચ્છા ધરાવે છે. તેથી જ ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ તહેવાર ને ખિચડી કહેવામાં આવે છે.

ગુજરાત માં આ તહેવાર માં લોકો સવારે ગાયો ને ઘાસ ખવરાવે છે અને ઉત્સવ ની ઉજવણી કરવા પતંગ ઉડાડે છે. આ તહેવાર પતંગ નો ત્યોહાર તરીકે પણ ઓળખાય છે. આ માટે આ તહેવાર બાળકો, યુવાનો થી માંડીને વૃધો સુધી બધાને ખુબ જ ગમે છે. લોકો આ દિવસ ની રાહ જોતા હોય છે અને ઘણા દિવસો પેહલાથી પોતાના માટે પતંગ અને દોરી ની ખરીદી કરે છે.

આ દિવસ પેહલા બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ જાતની દોરી જોવા મળે છે. આ દિવસે બધા લોકો પોતાના ઘરની છત ઉપર ચડી પતંગ ચગાવે છે. તમને અલગ અલગ ગીતો સંભળાય છે અને આકાશ રંગબેરંગી પતંગ થી ઘેરાયેલું જોવા મળે છે. કોઈ નો પતંગ કપાતા લોકો રાડો પાડે છે જેની માજા જ કૈક અલગ હોય છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે.

આ પણ જરુર વાંચો- મારો પ્રિય તહેવાર વિશે નિબંધ (Top 3 My Favorite Festival Essay in Gujarati)

(મકરસંક્રાંતિ) મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ વિષે નિબંધ (My Favorite Festival Uttarayan Essay In Gujarati)

બાળકોને અને યુવાનોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. આખા વર્ષમાં સઘળા તહેવારો હિન્દૂ તિથિ અનુસાર ઊજવાતા હોય છે. જયારે ઉત્તરાયણ તો દર વર્ષે જાન્યુઆરી માસની 14 તારીખે ઊજવાય છે. આ દિવસનું મહત્ત્વ ભૂગોળ અનુસાર હિન્દૂ સંકૃતિ માં ઉજવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે, તેથી તેને ‘મકરસંક્રાંતી’ પણ કહેવામાં છે.

એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન પણ કરે છે. ઘણા લોકો બાજરી કે ઘઉંની ઘૂઘરી બાફી ગાયોને ખવડાવે છે. ઘણા ગાયોને ઘાસ પૂળા ખવડાવે છે. આ દિવસે ગરીબોને દાન અને બ્રાહ્મણોનો દક્ષિણા આપવામાં આવે છે. કેટલાક લોકો તલસાંકળી કે તલના લાડુ, બોર કે જામફળ પણ ખાય છે.

ગુજરાત માં ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ ઉડાડવા વિશે છે. પતંગ ઉડાડવાના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્રીઓ તથા પુરુષો ખુબ આનંદ અને ઉત્સાહ ઊજવે છે.

જેમકે શત્રુના દેશ ૫૨ ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવામાં આવે એવી તૈયારીઓ ઉત્તરાયણને ઊજવવા માટે પતંગ અને દોરી તૈયાર કરવામાં આવે છે. જેમ સૈનિકોના હાથમાં શાસ્ત્રો હોય તેમ પતંગ રસિયાઓના હાથમાં દોરી અને પતંગ જોવા મળે છે. થોડા દિવસો પેહલા દોરીને રંગ અને કાચ પાવામાં આવે છે. આવી દોરીઓની ફીરકીઓ તેયાર કરવામાં આવે છે.

આકાશ માં અને લોકો પાસે પતંગો તો ભાત ભાતના અને જાત જાતના હોય છે. લોકો જુદી જુદી ફેશનો કરે તેમ પતંગોના રંગ અને તેમના પર આંકેલી ભાત પણ જુદી જુદી હોય છે. લોકો દ્વારા ઉત્તરાયણના દિવસ અગાઉ રાત્રીએ જાગીને પતંગોને કિન્ના બાંધી દેવામાં આવે છે. ફાટેલા પતંગોને સાંધવાના સરંજામ તૈયાર રાખવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે દિવસ ઉગ્યો નથી કે ધાબાઓ અને અગાશીઓ ધમધમી થઇ જતી હોય છે.

પતંગોના પેચ એટલે પતંગોનું જંગી યુદ્ધ. યુદ્ધમાં જેમ ચક્રવ્યૂહ તેમ પેચના પણ ચક્રવ્યૂહ રાચાતા હોય છે. જયારે કોઈ દોરી છોડીને પેચ લડાવે તો કોઈ દોરીને ખેંચીને પેચ લડાવે. પતંગના જંગનો રંગ કૈક અલગ હોય છે અને તેનો ઉમંગ ઓર હોય છે ! એવા પણ કેટલાક લોકો હોય છે જેઓ કપાયેલા પતંગોને લૂંટવાનો આનંદ માણતા હોય છે. તેઓ પતંગ પકડવા કાંટા વાળા જૈડા બનાવી તેમનો ઉપયોગ કરે છે. વાતાવરણ અલગ અલગ ગીતો અને રાડો થી ધમધમે છે.

એ કાપ્યો….’ જેવી બૂમો ચારેય દિશાઓમાં ગાજે છે. રાત્રીએ પણ પતંગનો આગવો આનંદ હોય છે અને ઘણા લોકો ગુબ્બારા ઉડાડે છે. ઊડતા પતંગની દોરી સાથે નાનકડા કાગળના ફાનસની વચ્ચે સળગતી મીણબત્તી મૂકીને તુક્કલ બનાવવામાં આવે. આવી તુક્કલો ઊડતા આગિયા જેવી લાગે. ગુજરાત માં ઉત્તરાયણ પછીના બીજા દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ઊજવવામાં આવે છે. ઉત્તરાયણ એટલે આનંદનો ઉત્સવ!

આ પણ જરુર વાંચો- રક્ષા બંધન નિબંધ (Top 3 Raksha Bandhan Essay in Gujarati)

10 લાઇન ઉત્તરાયણ વિષે નિબંધ (10 Line Uttarayan Essay In Gujarati)

  • મકરસંક્રાંતિ એક હિંદુ તહેવાર છે જે દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
  • આ તહેવાર ના દિવસે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશે છે.
  • આ તહેવાર માં આપણે સૂર્ય ભગવાનની પૂજા કરીએ છીએ અને નદીઓમાં પવિત્ર સ્નાન કરીએ છીએ. લોકો ગાય ને ઘાસ પણ ખવરાવે છે.
  • એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ પર ગંગા નદીમાં પવિત્ર સ્નાન લેવાથી આપણા બધા પાપ ધોવાઈ જાય છે.
  • બાળકો અને યુવાનો પતંગ ઉડાવીને અને મીઠાઇ ખાઈને આ દિવસની મજા લે છે.
  • આ દિવસ પેહલા બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ જાતની દોરી જોવા મળે છે.
Best Uttarayan Essay in Gujarati ઉત્તરાયણ તહેવાર નિબંધ
  • લોકો સંગીત ના સાધનો પોતાની છત પાર ચડાવે છે અને મોટા અવાજ થી ગીતો વગાડે છે.
  • કોઈ નો પતંગ કપાતા લોકો રાડો પાડે છે જેની મજા જ કૈક અલગ હોય છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે.
  • આખું આકાશ તમને રંગબેરંગી પતંગો થી ઘેરાયેલું હોય છે, તમને આકાશે રંગીન ચાદર ઓઢી હોય તેવું લાગે છે.
  • આ દિવસે ધારદાર દોરી વડે ઘણા પક્ષીઓ નું મૃત્યુ પણ થાય છે. આપણે બધા લોકોએ પક્ષીઓ ને નુકશાન ના ધાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ.

ઉત્તરાયણ વિષે નિબંધ પીડીએફ (Uttarayan Essay in Gujarati PDF)

તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF File માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

ઉત્તરાયણનું મહત્વ શું છે?

આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને આપણા શાસ્ત્રો અનુસાર આ દિવસ દાન પુણ્ય કરવા માટે સૌથી ઉત્તમ છે. આ દિવસે ઘણા લોકો આપણી પવિત્ર નદીઓ માં સ્નાન કરે છે અને ઘણા લોકો આ દિવસે ગાય ને ઘાસ ખવરાવી પુણ્યનું કામ કરે છે.

ઉત્તરાયણ દર વર્ષે ક્યારે ઉજવામાં આવે છે?

આ તહેવાર દર વર્ષે 14મી જાન્યુવારી ના દિવસે ઉજવામાં આવે છે.

ઉત્તરાયણનો તેહવાર લોકો કેવી રીતે ઉજવે છે?

આ તહેવાર મોટા ભાગના લોકો આકાશમાં પતંગ ચગાવી અને ઉજવે છે, જયારે ઘણા લોકો આ દિવસે ગાય ને ઘાસ ખવરાવી પુણ્યનું કામ કરે છે.

શું સમગ્ર દેશમાં ઉત્તરાયણ ઉજવવામાં આવે છે?

આ તહેવાર મોટા ભાગના રાજ્યોમાં ઉજવવામાં આવે છે. જયારે અન્ય રાજ્યોમાં આ તેહવાર નું નામ અલગ છે, જેમ કે તમિલનાડું માં આ તેહવાર પોંન્ગલના નામે ઓળખાય છે. આ સિવાય આ તેહવાર ને મેલા, સકારાત, માઘા અને ઘૂઘૂટી ના નામે ઓળખવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

“(મકરસંક્રાંતિ) ઉત્તરાયણ વિષે નિબંધ (Uttarayan Essay In Gujarati)” આર્ટિકલ માં તમે સૌથી સરસ ત્રણ નિબંધ જોયા, જે કદાચ તમને પણ સારા લાગ્યા હશે. તમે આ વિષે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ કરી અને આપી શકો છો. તમને આ બધા નિબંધ ગમ્યા હોય તો પણ કોમેન્ટ કરી અને જણાવવા વિનંતી છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment